ગુજરાતી રેનેસાં – એક શક્યતા

June 18, 2008

 ” હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થી દુનિયામાં ખોવાઈ ગયુ છે, જેને હજી દુનિયાની રીત રસમોનો કોઈ પરિચય નથી….કોઈના બદ ઈરાદા જે પારખી શક્તુ નથી એ બાળકની આ દુનિયા શું વલે કરશે?”

એક ખોવાયેલુ બાળક – આપણી જવાબદારી  -  જીજ્ઞેશ અધ્યારુનું જગત

      આ વાત વાંચી હું એક જુદા જ વીચારે ચઢી ગયો. આપણેય આ બાળક જેવા નથી? આપણને કેવા રુપકડા, નીર્દોશ, રુના ગાભલા જેવા અને વ્હાલસોયા લાગે તેવા બનાવી આપણા એ પરમ પીતાએ મોકલ્યા હતા? અને આપણે સમજદાર, સમ્પતીવાન, શક્તીશાળી થવાની  દોડમાં કેવા બની ગયા? કેવા ખોવાઈ ગયા?

     આપણા એ પરમ પીતાની આંતરડી કેવી કકળતી હશે? એને ઉંઘ પણ નહીં આવતી હોય.

     ચાલો આપણે એની વ્યથાનું શમન કરીએ.

——————

   મને આટલું સુઝ્યું – અંતરમાંથી આ પોકાર આવ્યો. અને અહીં લખું છું – ખાસ ગુજરાતી બ્લોગર મીત્રો અને વાચકો માટે.

   મોટા ભાગના મારી જેમ નવરા ધુપ નથી; સાંસારીક, સામાજીક અને વ્યવસાયની જળોજથામાં બહુ જ વ્યસ્ત છે. એમ હોવા છતાં, એ બધા વીશ્વગુર્જરીની જે નીસ્વાર્થ સેવા કરે છે; તે બેમીસાલ છે. જે વાંચે છે અને બ્લોગરોને ઉત્સાહ મળે તેવા પ્રતીભાવ આપે છે;  તે પણ આદરણીય છે.

   પણ હવે ‘નીજાનંદ’ અને ‘ગમતાંનો ગુલાલ’ કરવાની આ સ્તુત્ય પ્રવ્રુત્તીથી એક ડગલું આગળ વધીએ તો?  આપણે સૌ સામાન્ય જન કરતાં વધુ સુશીક્ષીત  અને ઠીક ઠીક સમ્રુદ્ધ છીએ. શું આપણું એ નૈતીક ઉત્તરદાયીત્વ નથી કે, આપણા જીવનનો એક હીસ્સો સમાજને કાંઈક  પ્રદાન કરવામાં વાપરીએ? ગાંધીયુગમાં આમ થયું હતું. પણ એ પ્રક્રીયા સ્થુળ પ્રગતીની દોટમાં લગભગ સ્થગીત થઈ ગઈ છે.

    મોટા ભાગના બ્લોગરો સાહીત્યરસીક છે; જ્ઞાન અને નીર્દોશ ગમ્મતના ચાહક છે. પણ સમાજનો મોટો  ભાગ આ બધાથી વીમુખ છે. માત્ર સમ્પત્તીની પાછળ આંધળી દોડમાં અને ધાર્મીક અંધશ્રદ્ધામાં વ્યસ્ત છે. આપણે ગુજરાતી સમાજની આ છાપ દુર કરવા,  ‘ જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે.’ ત્યાં ત્યાં એક નવો રેનેસાં ( સાંસ્ક્રુતીક પુનર્જન્મ) પ્રગટાવી ન શકીએ?

     આપણા વાડાઓ, આપણી માન્યતાઓ, આપણા પુરવગ્રહોને  બાજુએ મુકીને આ જ્ઞાનયજ્ઞમાં જોડાઈએ તો કેવું ?  આદરણીય શ્રી. મહેન્દ્ર મેઘાણીની વાંચન/ સમ્પાદન યાત્રા;  ગાંધીનગરની શાળાની બાળકો માટેની વાંચન શીબીર;  ડો. પ્રફુલ્લ અને ઈંદીરા શાહ ની લાયબ્રેરી પ્રવ્રુત્તી (સાવરકુંડલા);  શ્રી. ગોપાલ પારેખની વાંચન ઉત્તેજન પ્રવ્રત્તી વી. પરથી પ્રેરણા લઈ આપણે આવું કે બીજું કાંઈ પ્રદાન કરીએ તો? 

   આ માટે આપ સૌ બ્લોગરો/ વાચકો પાસેથી ઉત્કટ ઉત્સાહવાળા પ્રતીભાવ અને સુચનો મળશે તો આનંદ થશે.

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .

1 Comment Add your own

  • 1. Mehul trivedi  |  November 3, 2008 at 4:04 am

    yes, it is right . we can do something .
    if u need any help. I’m here in gandhinagar

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

June 2008
M T W T F S S
« May   Jul »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

મહિનાવાર ટપાલ

Meta

a