‘કેમ છો?’ -આદિલ મન્સુરી

February 22, 2007

હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.
સામે મળી જવાય તો બીજું તો કંઇ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.
-આદિલ મન્સુરી

——————————————————————————

‘કેમ છો?‘ વાપરીને બનાવેલી રચનાઓ શોધતાં આ લોકપ્રિય શાયરની આ રચના નજરે ચઢી ગઇ.

અને મન વિચારોએ ચઢી ગયું.

       આપણે ભીડમાં જ રહેવા ટેવાયેલા છીએ. એકલા પડવાનું બહુ જોખમી છે! કદાચ ‘એ’ સામે મળી જાય અને આપણને એ સમ્મોહિત કરી દે. અને તો તો પછી પાછા શી રીતે અવાય? ! 

        હા! પોતાની જાતને મળવાનું બહુ જોખમી છે. એક વાર એ મુલાકાત થઇ ગઇ. બસ પછી એને મળ્યા વિના જ ન ચાલે.  એના વિનાની જિંદગી અધૂરી લાગે. અરીસામાં દેખાતી વ્યક્તિની સાથે આપણે આંખ અને દિલ મેળવવાનું ટાળતા હોઇએ છીએ. અરીસા સામે પાંચ મિનીટ પણ સતત ઊભા તો રહી જૂઓ! મારી મા કહેતી હતી-”ચાટલા સામે બહુ ના ઊભો રહે. ગાંડા થઇ જવાય !”

        બસ આ પાગલપન આપણને લાગી જાય એ જ બીક છે. આ બધી ભીડ, આ બધો કોલાહલ, આ બધી માયા, આ બધી મનગમતી બબાલ, આ બધી વૈખરી, જે જીવનભર ભેગી કરી છે તે જતી રહે, તેનો મોહ ઓસરી જાય, તેની આપણને અસૂયા થઇ જાય તેનો ડર છે!  અંતરની વાણી જાગી જાય તેનો ડર છે.

         ભીડમાં ખોવાઇ જવામાં કોઇ જોખમ નથી. ભલેને આપણી જાત જ ખોવાઇ જાય!   

- સુરેશ જાની 

Entry Filed under: આદિલ મન્સુરી, આધુનીક ભારતીય, ગઝલ, સુરેશ જાની. .

4 Comments Add your own

  • 1. shivshiva  |  February 23, 2007 at 1:12 am

    ભીડમાં ખોવાઇ જવામાં કોઇ જોખમ નથી. ભલેને આપણી જાત જ ખોવાઇ જાય!

    પ્રભુ પર છોડી દેવાનું?

    Reply
  • 2. shivshiva  |  February 23, 2007 at 7:20 pm

    હું પણ ભાગેડુ વૃત્તિમાં જરાયે માનતી નથી. પરિસ્થિતીમાં સ્થિર રહેવું એમાં જ ખરું મક્કમપણું છે. અને એ પ્રયત્ન કરવો જ રહ્યો. મને તમારો જવાબ ખૂબ ગમ્યો
    આભાર

    Reply
  • 3. pradip  |  June 25, 2007 at 2:02 am

    ADIL MANSURI,
    TAME BHARE VAAT KARI,
    AAJE PRAS BETHO KE,
    BHID MA KHOVAI JAVU AE VAI (MURCHHA) CHHE.
    PAN, AAPNI JAAT NE MALVU AE TO TAVAI CHHE.
    I live this thought to readers for debate……………………………….

    Pradip.S.Dave
    Ahmedabad
    25/06/07

    Reply
  • 4. સુરેશ જા&hellip  |  June 25, 2007 at 9:21 am

    હા, આપણને ભીડમાં ખોવાવાનો રોગ ગમે છે.
    કદાચ આપણે સામાજીક પ્રાણી છીએ એટલે હશે.
    એકલા પડીએ અને જાતની ઓળખ થઇ જાય, તો આ મહોરું તુટી જવાનો ભય રહે છે. કદાચ આપણો હોવાપણાનો ભ્રમ જ ભાંગી જાય છે.
    અતીતના માર્ગની એકલતા બહુ ભયાવહ હોય છે. પણ જેમણે એ અનુભવેલી છે તેઓ એમ કહે છે કે, એ માર્ગે ગયા પછી પાછા વળવાનું મન નથી થતું.
    એ તો જોનાથન લીવીન્ગ્સ્ટનની સીગલના ઉડાણ જેવું ઉડાણ હોય છે તેમ જાણકારો કહે છે.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

February 2007
M T W T F S S
« Jan   Mar »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

મહિનાવાર ટપાલ

Meta

a