હરિવરને કાગળ- ભગવતીકુમાર શર્મા
January 24, 2007
હરિવરને કાગળ લખીએ રે.
લઇને જમુનાજળ લખિયે રે.
જત લખવાનું કે કરવી છે થોડી ઝાઝી રાવ,
વ્હાલા હાર્યે વઢવાને યે લેવો લીલો લ્હાવ.
અમે તમારા ચરણ કમળને પખાળવા આતૂર,
હવે નેણમાં વરસો થઇ ચોમાસું ગાંડુતૂર.
કઇ ભીની ઝળહળ લખીયે રે.
- હરિવરને …..
શ્વાસમાં વરસે નામરટણના કેમ ન પારિજાત ?
ઝટ બોલો હરિ! ક્યારે થાશું રોમ રોમ રળિયાત?
કાં રુદિયામાં ફરતી મેલો ટપટપ તુલસીમાળ;
કાં આવીને શ્વાસ સમેટો મારા અંતરિયાળ.
શું હાવાં આગળ લખીયે રે.
- હરિવરને …..
- ભગવતીકુમાર શર્મા
આ અદ્ ભૂત ગીતને સ્તુતિ કહેવાનું મન નથી થતું , અને છતાં પરમ તત્વ સાથે એકરૂપ થવાની આવી તાલાવેલી આપણને ભક્તિ રસમાં એકરસ કરી નાંખે છે. રોમે રોમમાં એ પરમ તત્વ સાથે તાદાત્મ્યની આરતવાળા આ ગીતને સોલી કાપડીયાના સ્વરમાં સાંભળવું એ પણ એક લ્હાવો છે.
Entry Filed under: આધુનીક ભારતીય, ગીત, ભગવતી કુમાર શર્મા. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Jayshree | January 30, 2007 at 11:48 am
This Bhajan / Stuti can be listen on tahuko at this link :
http://tahuko.com/?p=428