Archive for January 2nd, 2007
પ્રાણ – રવીન્દ્રનાથ ઠાકુર / નગીનદાસ પારેખ
આ મારા શરીરની શિરાએ શિરામાં જે પ્રાણ તરંગમાલા દિનરાત દોડ્યાં કરે છે, તે જ પ્રાણ વિશ્વ દિગ્વિજય કરવા ધસી રહ્યો છે, તે જ પ્રાણ અપૂર્વ છંદથી, તાલથી અને લયથી બ્રહ્માંડમાં નાચી રહ્યો છે.
તે જ પ્રાણ ચુપચાપ વસુધાની માટીના પ્રત્યેક રોમકૂપે લાખ લાખ તૃણોમાં હર્ષથી સંચરે છે, અને પલ્લવમાં અને પુષ્પમાં વિકસે છે.
તે જ પ્રાણ વર્ષે વર્ષે વિશ્વવ્યાપી જન્મ મૃત્યુના સમુદ્ર રૂપી પારણામાં અનંત ભરતી ઓટ રૂપે ઝૂલી રહ્યો છે.
તે જ અનંત પ્રાણ મારા અંગે અંગને મહિમાવાન બનાવી રહ્યો છે, એ હું અનુભવું છું. અને તે યુગ યુગાન્તનું વિરાટ સ્પન્દન આજે મારી નાડીમાં નૃત્ય કરી રહ્યું છે.
- નગીનદાસ પારેખ
મૂળ લેખક – રવીન્દ્રનાથ ઠાકુર ( ગીતાંજલિ)
જ્યારે અંતરની વાણી સંભળાવા માંડે ત્યારે આવા અનુભવો સહજ બની રહે છે. આ જ છે પ્રભુ સાથે રાસલીલા.
1 comment January 2, 2007