બની આઝાદ – 2 – સુરેશ જાની
October 25, 2006
આપણે એમ માનવા લાગીએ કે ‘આઝાદ બનીએ એટલે આપણે બહુ સુખી થઇ જઇએ કે, આપણા બધા સાથે સંબંધો સુધરી જાય. આપણી ભૌતિક સમૃધ્ધિ વધવા માંડે.’
આમ થાય કે ન પણ થાય. આમ થાય તો તે એક આડ પેદાશ જ થઇ ગણાય. અત્યારે તો સુખ અને દુઃખ બન્ને આપણને બંધનકર્તા છે. મુખ્ય વાત તો એ છે કે પછી આપણે સુખ અને દુઃખ બન્નેના બંધનોથી પર થઇ શકીએ.
અભિગમ બદલાય એટલે બધું હતું તેમનું તેમ રહેવા છતાં, બધું જુદી જ રીતે દેખાવા લાગે. અને જ્યારે આમ થાય ત્યારે વસ્તુ અને ઘટનાના બીજાં પાસાં પણ આપણને દેખાવા લાગે. નવા વિકલ્પો જડવા લાગે. પ્રતિક્રિયા ન કરો એટલે, નવી ક્રિયાઓ સૂઝે – નવી શક્તિઓ પ્રગટે – નવા રસ્તા દેખાવા માંડે. સમય આપણને આડખીલીરૂપ નહીં , પણ સહાયક લાગવા માંડે.
સમયના આધીન આપણે નહીં, સમય આપણને આધીન થઇ જાય.
- સુરેશ જાની
———————————————————————————————————-
Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1. બની આઝાદ ( ભાગ -1 ) - રજની ‘પાલનપુરી’ « અંતરની વાણી | July 4, 2007 at 3:53 am
[...] ભાગ – 2 : ભાગ- 3 : ભાગ – 4 : ભાગ - 5 : ભાગ - 6 [...]