અપેક્ષાઓ દુઃખો સર્જે છે – શાહબુદ્દીન રાઠોડ
October 23, 2006
ભગવાન બુધ્ધે કહ્યું છે :” અપેક્ષાઓ દુઃખો સર્જે છે.”
મેં આ માત્ર વાંચ્યું જ નથી. જીવનમાં અનેક વાર અનુભવ્યું છે. માનવીની અપેક્ષાઓ જેટલી વધુ તેટલો તે વધારે દરિદ્ર.
ભગવાન બુધ્ધ એક વાર એક મહાલયના પ્રવેશદ્વારે ભિક્ષા માટે ઊભા હતા. એ મહાલય કરોડપતિ શ્રેષ્ઠીનું હતું. શ્રેષ્ઠી બહાર જવા નીકળ્યા. તેમણે ભગવાન બુધ્ધને જોયા, પ્રતિભા જોઇ અને કહ્યું :” સન્યાસી! આપ કોણ છો એ હું નથી જાણતો, પરંતુ હું આપની પ્રતિભાથી એટલો પ્રભાવિત થયો છું, કે આપને વિનંતી કરું છું, કે મારી એક સ્વરૂપવાન કન્યા છે. આપ તેની સાથે લગ્ન કરી લ્યો. હું મારી આ સમ્પત્તિ તમને અર્પણ કરું છું. હું કરોડપતિ છું અને આપ ભિક્ષુક છો.”
ભગવાન બુધ્ધે કહ્યું :” કદાચ જો એવું હોત.”
બુધ્ધનું કહેવું એવું હતું કે કદાચ જો એવું હોત હું વિચારત. પરંતું હું ભિક્ષુક નથી, તમે સમ્પત્તિવાન નથી. જેની આંતર સમૃધ્ધિ વિશાળ છે. જેને અપેક્ષા નથી એ સમ્પત્તિવાન છે. અને જેનામાં આંતરસમૃધ્ધિ નથી , જેની અપેક્ષાઓ વધુમાં વધુ છે, તે ભિક્ષુક છે.
- શાહબુદ્દીન રાઠોડ
Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, બૌધ્ધ, શાહબુદ્દીન રાઠોડ. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
ઊર્મિસાગર | October 23, 2006 at 2:41 pm
” અપેક્ષાઓ દુઃખો સર્જે છે.”
એકદમ સાચી વાત… આ એક વાક્યમાં જાણે કેટલાંયે ગ્રંથોનો સાર હોય એવું નથી લાગતું??!!!!!
2.
કેતન શાહ | September 4, 2007 at 2:28 am
Sapne dekho, lekin use sach hone ki ummed mat rakho.
3.
chetu | September 4, 2007 at 8:29 am
એક્દમ સાચી વાત ..! ઉર્મી અને કેતનજી બન્ને ની વાત પણ સાચી છે..