એ આવશે – સુંદરમ્

October 14, 2006

એ આવશે અંતરનો અવાજ થઇ,
કે તોપગોળો થઇને ધણેણતો.
એ આપશે સ્વર્ગ તણું સુખાસન,
કે વેદનાના નરકાગ્નિઓ બધા :
એ સર્વ એનાં વરદાન મંગલ -
કૃતાર્થ થઇ તૃપ્ત બની વધાવીએ.

- સુંદરમ્

   અંતરના અવાજને સાંભળતા થઇએ તે પછી આપણું કલ્યાણ જ થશે કે બધું સારું જ થશે કે આપણને સ્વર્ગ જેવું સુખ મળશે તેમ આપણે માનવા માંડીએ તો તે માન્યતા સાવ પાયા વિનાની છે.

    અંતરની વાણીની શોધ કંઇક પામવા માટે નથી, કે કંઇક નવા બનવા માટે ય નથી. તે તો આપણે જેવા છીએ તેવા જ બની રહેવા માટેની શોધ છે.  જ્યારે આપણે તેને સાંભળતા થઇએ, અને આપણને તે સાંભળ્યા વિના ચાલે જ નહીં તેવી સ્થિતિ પ્રાપ્ત થાય પછી સુખ અને દુઃખ, હર્ષ અને શોક એ સૌથી આપણે અલિપ્ત થઇ શકીએ છીએ.  

      કોઇ પણ સંજોગ આવી પડે પણ આપણું મુક્ત ઊડાણ પછી ચાલુ જ રહી શકે છે. આપણે સૌ ગુલામીઓથી મુક્ત થઇ શકીએ છીએ.    

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, ત્રિપદી, સુંદરમ, સુરેશ જાની. .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a