પૈસો એ જીવન નથી – ધૂની માંડલીયા
October 6, 2006
જીવન ગણિતનાં સમીકરણો અનુસાર ચાલતું નથી. જીવનમાં ગણિતનું એક ચોક્કસ સ્થાન જરૂર છે, પણ એ સ્થાન ભર્યા ભોજનની થાળીમાં પીરસાતી એક વાનગી જેટલું જ છે.
ભર્યા ભાણામાં એક ચોક્કસ વાનગી તમને ભાવતી હોય એવું બને, પણ એ જ વાનગીના સ્વાદના આધારે આખા ભાણાનું મૂલ્યાંકન થાય નહીં.
જો લેખાં જોખાંના આધારે જ જીવનના તમામ વ્યવહારો ચલાવવાનો તમારો આગ્રહ રહેશે તો એક દિવસ એવો જરૂર આવશે કે જ્યારે તમને એમ લાગશે કે, આ હરી ભરી દુનિયામાં તમે એકલા પડી ગયા છો. ઘરમાં નોટોના બંડલ પડ્યાં હશે તો ય કશીક રિક્તતા તમને પ્રતિ પળ ફોલી ખાતી હોય એવો અનુભવ થશે.
ઘણા આજે ય એવા અનુભવનો સામનો કરતા સબડી રહ્યા છે.. જિંદગી તો વહેતો પ્રવાહ છે. એ ભગવાને બક્ષી છે. જ્યારે આપણે પાણીમાં થીજી ગયેલા બરફ જેવા છીએ.
પ્રવાહ સાથે તરવા માંડવું એટલે મારા-તારાના હિસાબથી અળગા રહેવું તે. વહેણ અને પ્રત્યેક વંટોળને મોજથી આવકારીએ. નૃત્ય અને નિનાદને મનભર માણીએ. જો આટલું થઇ શકે તો, હજી કહી શકાય કે, તમે જીવવાની કળાની આસપાસ છો.
- ધૂની માંડલીયા
Entry Filed under: ધૂની માંડલીયા. .
Trackback this post | Subscribe to the comments via RSS Feed