ઇશ્વર ઉવાચ – વજુ કોટક
September 20, 2006
તમે ફરિયાદ કરો છો કે તમારી અને મારી મુલાકાત થતી નથી. પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છું.
વહેલી સવારે પંખીઓનાં કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છું અને સૂર્યનાં કિરણોનો પોષાક ધારણ કરીને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જ્યારે તમે પગલાં માંડો છો ત્યારે ઘંટનાદમાં છૂપાઇને હું તમારું સ્વાગત કરું છું અને તમે એમને પુષ્પો ધરો છો ત્યારે પ્રભાતનાં પુષ્પો બનીને હું જ તમારા હાથમાં શોભું છું.
વિયોગથી તમે ઝૂરો છો ત્યારે રાત્રે ચન્દ્ર બનીને તમને શાંતિ આપવા હું બહાર નીકળું છું. કદી હવા બનીને હું વસ્ત્રો સાથે સાગર કિનારે ગેલ કરું છું, તો કદી મોજાં બનીને તમારા પગ પણ હું સાફ કરું છું.
અરે, ખરું કહું તો તમારા હૃદયમાં જે ધબકારા છે એમાં પણ હું જ તમારા નામનું રટણ કરું છું. આમ છતાં તમે ફરિયાદ કરો છો કે તમારું અને મારું મિલન થતું નથી. ખરેખર તમારી દશા પેલા કસ્તુરીમૃગ જેવી છે કે જેની પાસે સુગંધ હોવા છતાં પણ તે સુગંધને પકડવા દૂર ને દૂર દોડ્યા કરે છે !
સૂર્યથી તેજ છૂટું પડી શકતું નથી. સાગરથી મોજાં વિખૂટાં પડતાં નથી અને વસ્તુમાંથી છાયા દૂર થઇ શકતી નથી તો પછી તમે જ કહો કે તમે અને હું જુદા કેવી રીતે છીએ?
– વજુ કોટક ( પ્રભાતનાં પુષ્પોમાંથી)
Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, વજુ કોટક. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
SV | September 21, 2006 at 11:00 am
Beautiful, thanks for sharing.