મહેંદી- કબીર
September 17, 2006
સાહિબ તેરી સાહિબી , સબ ઘટ રહી સમાય
જ્યું મહેંદીકે પાતમેં લાલી લખી ન જાય.
- કબીર
પરમ તત્વના સતત સાન્નિધ્યમાં રહેતા કબીરે આ તત્વ આપણા અણુ અણુમાં સમાયેલું છે તેનું કેવું સુંદર ઉદાહરણ આપ્યું છે? મહેંદીમાં જેમ લાલી રહેલી છે, પણ આપણે તે જોઇ શકતા નથી, તેમ આ તત્વ જ આપણું સમસ્ત હોવાપણું છે.
મહેંદીને પીસો ત્યારે લાલી નિખરે છે. તેમ જ્યારે મન પ્રતિભાવો આપતું બંધ થાય, શૂન્ય બને, તેની લીલાશ – તરલતા નાશ પામે, ત્યારે જ એ તત્વની પ્રતીતિ થઇ શકે છે.
Trackback this post | Subscribe to the comments via RSS Feed